ગાંધીનગર : બે બાળકો સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય : ૮૦ વર્ષના વૃધ્ધ સામે નોંધાઇ ફરિયાદ
ગાંધીનગર તા. ૨૩ : ગાંધીનગરમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે અંદાજે ૮૦ વર્ષના વૃદ્ઘે બાળકો પર ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે પ્રાથમિક વિગતો મેળવી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક વિગત મુજબ ગાંધીનગરમાં સેકટર ૨૧ પોલીસ સ્ટેશનમાં બે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય આચર્યાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સેકટર ૨૪માં રહેતા કેશુભાઇ મહારાજ નામના વ્યકિતએ માસુમ બાળકોને ચોકલેટની લાલચ આપી પોતાના મકાન પાસે આવેલી ગોડાઉનમાં લઇ ગયો હતો, જયાં એક ૯ વર્ષના અને બીજો ૧૦ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરાયું હતું.
ઘટનાની જાણ થતા જ સેકટર ૨૧ના પોલીસ સ્ટાફે પ્રાથમિક વિગતો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે હાલ ૩૭૭ કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે, જયારે આરોપીને પકડી વધુ કાર્યવાહી કરવામાં આવશે.