ગુજરાત
News of Tuesday, 23rd October 2018

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે અપીલ

સૌરભ પટેલ નિતીશકુમારને મળ્યા

અમદાવાદ,તા. ૨૨ : ઉર્જા મંત્રી સૌરભ પટેલે સોમવારે ૨૨ ઓક્ટોબરે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારની મુલાકા કરી તેમને ગુજરાતમાં નિર્માણ થયેલી સરદાર સાહેબની વિરાટ પ્રતિા સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા આવવા આમંત્રણ પાઠવ્યું હું. ઉર્જા મંરીએ બિહારના મુખ્યમંત્રીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક આ નિમંત્રણ પાઠવવા સાથે અર્પણ કરી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આગામી ૩૧ ઓક્ટોબર-૨૦૧૮ના, સરદાર સાહેબની જન્મ જયંતિએ રાષ્ટ્રને અર્પણ થનારી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ,રાજ્યપાલ અને મહાનુભાવોને નિમંત્રણ આપવા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ પદાધિકારીઓ સંબંધિત રાજ્યોની પ્રવાસ-મુલાકાત કરે છે. તદ્દઅનુસાર ઉર્જા મંત્રી સૌરભ પટેલ બિહારના પ્રાસે છે.

તેમની સાથે સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્ય હર્ષ સંઘવી, પિયુષભાઈ દેસાઈ, કિશોરસિંહ ચૌહાણ અને અરવિંદ પટેલ તથા ઉચ્ચ અધિકારીઓ પણ આ મુલાકાતમાં જોડાયા છે.  સૌરભ પટેલે બિહારના રાજ્યપાલ લાલજી ટંડન તેમજ ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદીની પણ મુલાકાત કરી તેમને પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

(8:18 pm IST)