ગુજરાત
News of Friday, 23rd September 2022

ભાજપના રાજમાં હે પ્રભુ, માત્ર તારુ નામ જ થયુ સોંઘુઃ બાકી બધુજ થઈ રહ્યુ છે મોંઘુ... મોંઘુ... પરેશ ધાનાણી

ગરીબોના ચૂલે છે, તેલનુ ટીપુંય દોહ્યલુ અને અમીરોની મજારે ઘીના દિવા થાય છે...ખેડુતોની તમામ ઉપજ પાણીના ભાવે લૂંટાઈ રહી છે છતાંય ગરીબ ગ્રાહકો અસહ્ય મોંધવારીના મારથી શું કામે પીસાઇ રહ્યા છે..? : વિધાનસભા ગળહમાં ખાધતેલના વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્‍નમાં પૂર્વ વિપક્ષના નેતાની રાજ્‍ય સરકાર ઉપર ધણધણાટી

રાજકોટ, તા.૨૩: વિધાનસભા ગળહમાં ખાધતેલના વધતા ભાવોને અંકુશમાં રાખવા બાબતના પ્રશ્‍નમાં પૂર્વ વિપક્ષના નેતા  પરેશભાઇ ધાનાણીએ જણાવ્‍યુ હતું કે રાજ્‍યમાં છેલ્લા ૨૭ વર્ષીય ભાજપના રાજમાં હવે ગરીબોના ચૂલે થઇ રહયુ છે તેલનુ ટીપુંય દોહ્યલુ અને અમીરોની મજારે ઘીના દિવા થાય તેવી મૂડીવાદી સરકારી વ્‍યવસ્‍થાનો ભોગ રાજયના ગરીબ અને મધ્‍યમ વર્ગીય પરિવારો બની રહ્યા છે.
સમગ્ર દેશમાં કળષિ ઉત્‍પાદનો ઉપર કાળા કરવેરા વસુલવાની ગુજરાતમાં શરૂઆત કરનારી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી માનસિકતાના કારણે કળષિ ઉપજના મૂળ ઉત્‍પાદક એવા ખેડુતોની તમામ ઉપજો પાણીના ભાવે લૂંટાઈ રહી છે અને બીજી તરફ ગરીબ અને મધ્‍યમ વર્ગીય ઉપભોકતા એવા ગ્રાહકોએ મોંધવારીનો માર શું કામે સહન કરવો પડે તેવો વેધક સવાલ ઉઠાવતા શ્રી ધાનાણીએ જણાવેલ કે, આજે ખુલ્લી બજારમા વેંચાઈ રહેલ વિવિધ તેલીબીયાંની જણસોના સરેરાશ મણ દિઠ (ર૦ કિ.ગ્રામ) ના ભાવ મુખ્‍યત્‍વે મગફળીનો ભાવ રૂ.૯૦૦, કપાસનો ભાવ રૂ. ૧૫૦૦, સરસવનો ભાવ રૂ.૧૦ર૧, સોયાબીન ભાવ રૂ.૯૪૩, સૂર્યમુખીનો ભાવ રૂ.૯૯૧,  એરંડાનો ભાવ રૂ.૧૩૪૬,  તલનો ભાવ રૂ.રર૦૦  સહિત લગભગ તમામ ખેત-ઉપજો ખૂબ નહિંવત ભાવે વેચાઇ રહી છે.
એક તરફ પોષણક્ષમ ભાવના અભાવે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને બીજીતરફ નફાખોરી, સંગ્રહખોરી તેમજ કાળા બજારીયાઓની મીલીભગત ઉપર સરકારી નિયંત્રણના અભાવે વિવિધ ખાધ તેલના ભાવો આસમાને પહોંચ્‍યા હોવાનું સરકારે આજે વિધાનસભામાં સહજતાથી સ્‍વીકાર કરવો તે મોંઘવારીથી પીડાતી રાજયની લાખો ગળહિણીઓના અપમાન સમાન છે. સરકારી રેકર્ડ મુજબ ગત ૧૦ સપ્‍ટેમ્‍બર, ર૦રરના રોજ સિંગતેલ ડબાના રૂ. ૨૬૩૧,  કપાસીયા તેલ ડબાના રૂ.૨૫૦૨, સરસવ તેલ ડબાના રૂ.૨૩૯૧, સોયાતેલ ડબાના રૂ.૨૧૮૨,  સૂર્યમુખી તેલ ડબાના રૂ.૨૩૯૪, પામતેલ ડબાના રૂ. ૧૯૦૨,  સહિત જીવન જરુરી ચીજવસ્‍તુઓના ઊંચા ભાવ વસુલવાના કારણે ગરીબ  અને મધ્‍યમ વર્ગીય પરિવારોના ઘરે બે ટાણા ચુલો નથી સળગતો ત્‍યારે કાળજાળ મોંઘવારીના મારથી પીડાતી ગુજરાતની ગળહિણીઓએ હવે શાકનો વઘાર તેલથી કરવો કે પછી ખાલી પાણીમા ભોજન પકાવવુ તેવો સરકારને વેધક સવાલ કરતાં  શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, સતત વધતા તેલના મોંઘા ભાવના કારણે ઘરનુ ભોજન, પાઉભાજી, ગાંઠીયા, ભજીયા, પેટીસ, પાણીપુરી સહિતના વિવિધ નાસ્‍તા અને ફરસાણને સત્‍વરે મોંઘવારીમાંથી મુક્‍તિ આપવા માટે કરવેરાના દરોમાં તાત્‍કાલિક ઘટાડો કરવાની માંગણી કરેલ હતી.
વધુમાં શ્રી ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આવી જ રીતે ગળહિણીઓના રસોડામાં રોજબરોજની જરૂરિયાતવાળી નીચે મુજબની વિવિધ કળષિ ઉપજોને ખેડૂતો પાસેથી ખુલ્લી બજારમાં પાણીના ભાવે પડાવી લેવામાં આવે છે અને એજ કળષિ ઉપજો જયારે ગરીબ અને મધ્‍યમવર્ગીય ગ્રાહકો બજારમાં ખરીદવા જાય ત્‍યારે અનેક ગણી કિંમતે લોકોએ નફાખોરી અને કાળાબજારીનો ભોગ બનવુ પડે છે.

 

(10:21 am IST)