અમદાવાદના જમાલપુરમાં અંગત અદાવતમાં યુવકની છરીના ઘા ઝીકી કરાઈ કરપીણ હત્યા
જુના ડુંગરાપુરામાં રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલાચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના ઝીકી દીધા
અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાત્રે યુવકની હત્યા થઇ છે,સગાઈ તોડી નાખ્યાની અદાવત રાખીને યુવક યુવતીના ઘરે પહોંચ્યો અને બોલાચાલીમાં ઝઘડો કરવા લાગતા યુવતીના પિતાએ છરી ના ઘા મારીને યુવકની હત્યા કરી હતી જમાલપુર વિસ્તારમાં આવેલી જુના ડુંગરાપુરા ખાતે રહેતો શોએબ અને સલીમ વોરા વચ્ચે બોલા ચાલી અને ઝઘડો થતાં સલીમ વોરાએ તેની પાસે રહેલ છરી વડે શોએબને ત્રણથી ચાર છરીના પેટમાં, છાતીમાં તેમજ પીઠના ભાગે મારી દેતા શોએબ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ હતું..જ્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો..
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મૃતક શોએબની સગાઈ આરોપીની દીકરી સાથે થઈ હતી..જો કે એક વર્ષ અગાઉ કોઈ કારણોસર સગપણ તોડી નાખવામાં આવી હતી..જેને લઈને શોએબ યુવતીના ઘરે ગયો હતો અને બોલાચાલી ઝઘડો કરવા લાગ્યો હતો..જોકે આરોપી સલીમ વોરા અને મૃતક શોએબ બંને બોલાચાલી કરતા કરતા કાચની મસ્જિદ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને વચ્ચે મારામારી થતા સલીમ વોરાએ સોયબને એક પછી એક છરીના ઘા મારતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જે અંગેની જાણ તેણે તેના માતાને કરતા તેના માતા પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને શોએબ ને સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા જ અન્ય કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો.અને ગાયકવાડ હવેલી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે