ગરૂડેશ્વરના કોયારીમાં આધેડની હત્યા : શકમંદ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો
ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરડેશ્વર તાલુકાના કોયરી ફળીયામાં એક આધેડની કોઈ અજાણ્યા શખ્શે હત્યા કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વરના કોયારી ફળિયામાં હત્યાની ઘટનામાં ફરીયાદ આપનાર ધનાભાઇ ગોવિંદભાઇ તડવી કોયારી ફળીયું ગરૂડેશ્વરના ભાઇ ભરતભાઇ ગોવિંદભાઇ તડવી( ઉ.વ.૪૫)( રહે. કોયારી ફળીયુ ગરૂડેશ્વર વાળા )ને કોઇ વ્યક્તિએ તારીખ.૨૦/૦૯/૨૦૨૧ ના રોજ ૧૦/૦૦ વાગે પહેલા કોઇ પણ સમયે કોઇ પણ કારણ સર મારી નાખી મૃતદેહ ને સગે વગે કરવા શકદાર મંજુલાબેનની ઘરની નજીક મૃતદેહના બન્ને પગે દોરડુ બાંધેલ હાલતમાં શંકાસ્પદ મુકી ગયા હતા અને મંજુલાબેન હીરાભાઇ તડવીએ મારી નાખેલ હોવાની ધનાભાઈએ શંકા વ્યક્ત કરતા આ બાબતે ગરૂડેશ્વર પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરી તેની વધુ તપાસ કેવડિયા વિભાગના નાયબ પોલીસ અધીક્ષક વાણી દુધાત કરી રહયા છે.