News of Monday, 23rd September 2019
સુરતના કતારગામના માતાએ ત્રણ વર્ષના પુત્ર સાથે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી : બંનેને મૃતદેહ બહાર કાઢ્યા
બન્ને લાશોને બહાર કાઢીને કતાર ગામની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી
સુરત : શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સુરતના કતારગામ વિસ્તારમાં એક માતાએ તેના 3 વર્ષના દિકરા સાથે અગમ્ય કારણોસર તાપી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ ઘટનાને પગલે આસપાસનાં વિસ્તારમાં અરેરાટી મચી ગઈ હતી
આ કરૂણ ઘટનામાં માતા અને બાળક બંનેનું તાપી નદીમાં ડૂબી જવાથી મોત થઇ ગયું હતુ. માતા અને પુત્રની લાશને ભારે જહેમત બાદ બહાર કાઢાઈ હતી. બન્ને લાશોને બહાર કાઢીને કતાર ગામની સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે આ ઘટના અંગે જાણ થતા કતારગામની પોલીસ પણ સ્મીમેર હોસ્પિટલ પહોંચી અને આગળની કાર્યવાહી વધુ હાથ ધરી છે.
(12:12 am IST)