News of Monday, 23rd September 2019
ભરૂચના નબીપુર નજીક રીક્ષા પલટી જતા અંકલેશ્વરના રીક્ષા ચાલકનું ઘટના સ્થળે મોત
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે નં. ૪૮ પર આવેલ નબીપુર ગામ નજીક રીક્ષા પલટી જતા રીક્ષાચાલકનું કરૂણ મોત નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ અંકલેશ્વર ખાતે રહેતા શૈલેશ અમરતભાઇ મોદી રીક્ષા નં. જીજે -૧૬ -વાય -૭૮૯૦ને હંકારી નબીપુર તરફ આવતા હતા ત્યારે રીક્ષાના સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા ઇલેક્ટ્રિકના પોલ સાથે અથડાતા પલટી જતા ચાલક દબાઇ જતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
ઉપરાંત રીક્ષામાં સવાર નબીપુરના રહેવાસી મોહન શંકરભાઇ વસાવાને સામાન્ય ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે નબીપુર પોલીસ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
(6:35 pm IST)