ગુજરાત
News of Monday, 23rd September 2019

પ્રાતિજમાં છેલ્લા એક અઠવાડિયાથી પ્લાસ્ટિકના ઈંફેક્શનના કારણોસર 6 ગાયોના મોતથી અરેરાટી

પ્રાંતિજ:શહેરમાં છેલ્લા એકાદ અઠવાડીયાથી ગાયોના મોત નીપજયા છે જેમાં પેટમાં પ્લાસ્ટીકના ઈન્ફેકશનના કારણે પાંચ રખડતી ગાયો અને એક માલિકીપણાની ગાયનું મોત નીપજયું છે જેને લઈને જીવદયા પ્રેમીઓમાં ભારે નિરાશા જોવા મળે છે.

પ્રાંતિજ શહેરમાં ચોમાસુ આવતાની સાથે ગાયના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો પોતાની ગાયોને બજારમાં રખડતી મૂકી દે છે.જેને કારણે ગાયોનું આખુ ટોળુ કોઈ ખેડૂતના ખેતરમાં ઘુસી જતાં પાકનો સોથ વાળી નાખે છે.તેમજ રખડતી ગાયોને કારણે શહેરમાં અનેક અકસ્માત સર્જાય છે. અંગે પાલિકાનું તંત્ર અંગે કોઈ કાર્યવાહી કરતું  નથી જેને કારણે ગાયોના માલિકોને છુટ્ટો દોર મળી ગયો છે.

(5:45 pm IST)