ગુજરાત
News of Monday, 23rd September 2019

અમદાવાદના જમાલપુરમાં ભાજપના સક્રિય કાર્યકરની હત્યામાં કુખ્યાત ખાન સાયકલ ગ્રુપની સંડોવણી ખુલી

પાંચ આરોપીઓમાંથી બે આરોપી રશીદ અને સોહેલની ધરપકડ

અમદાવાદ: અમદાવાદના  જમાલપુર વિસ્તારમાં આવેલી હજીરાની પોળના નાકે ભાજપના સક્રિય કાર્યકર્તાની હત્યા થઈ હતી આ ઘટના બાદ પોલીસે તપાસ કરતા કુખ્યાત ખાન સાયકલ ગ્રુપના લોકો હોવાનું બહાર આવ્યું છે

   હજીરાની પોળ પાસે રહેતા રિયાઝુદ્દીન ઉર્ફે રાજુ શેખ કે જેઓ આર આર ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. તે ટ્રાન્સપોર્ટ એસોસિએશન સાથે પણ સંકળાયેલો હતો અને ભાજપનો સક્રિય સિનિયર કાર્યકર્તા હતો.

શનિવારે રાત્રે ઘર બહાર બે લોકો વચ્ચે બબાલ ચાલતી હતી. જેમાં તેઓ સમાધાન કરાવવા વચ્ચે પડ્યા હતા  દરમિયાન પાંચ શખ્સોએ છરીના ઘા મારીને હત્યા નીપજાવી. પોલીસે પાંચ આરોપીઓમાંથી બે આરોપી રશીદ અને સોહેલની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી

(11:26 am IST)