બહુચરાજીના હાંસલપુર અને નાવીયાની વચ્ચે જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
બહુચરાજીના હાંસલપુર અને નાવીયાની વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. હાંસલપુર અને નાવીયાની વચ્ચે જીપ અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણમોત થયા છે. મૃતકો વણોદ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
અકસ્માતની ઘટના સુરેન્દ્રનગર જિલ્લા હદ વિસ્તારમાં થતાં દસાડા પોલીસ દોડી આવી હતી. પોલીસે અકસ્માતને પગલે બોલેરો ડ્રાઇવર વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સુધારેલ વાહન અધિનિયમ વચ્ચે ગમખ્વાર અકસ્માતો રાજ્ય કેન્દ્ર સરકાર માટે વધુ મંથન કરાવી રહ્યા છે.
મૃતકોમાં મકવાણા મણીબેન ગોવિંદભાઇ (ઉ. 50) રહે. ગાંધીનગર), ભરવાડ વસ્તા રત્નાભાઇ (ઉ. 28)( રહે. વણોદ) અને , નાયક અલ્પેશ ઉમાભાઇ (ઉ. 35) ( રહે. એછવાડા) નો સમાવેશ થાય છે