ગુજરાત
News of Monday, 23rd September 2019

બહુચરાજીના હાંસલપુર અને નાવીયાની વચ્ચે જીપ અને રીક્ષા વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

બહુચરાજીના હાંસલપુર અને નાવીયાની વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. હાંસલપુર અને નાવીયાની વચ્ચે જીપ અને રીક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ કરુણમોત થયા છે. મૃતકો વણોદ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

(9:52 pm IST)