પૂજય બાપજીએ સત્સંગ પ્રવૃતિનો વિસ્તાર કરી ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છેઃ વિજયભાઈ રૂપાણી દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ
ગાંધીનગરઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) ના સંસ્થાપક પરમ પૂજય શ્રી દેવનંદનદાસજીના ( ગુરુવર્ય પરમ પૂજય બાપજી ) નિધન પર શ્રદ્ઘાંજલિ પાઠવી છે. શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતુ કે, પરમ પૂજય બાપજીએ સત્સંગ પ્રવૃતિનો વિસ્તાર કરી ભારતીય સંસ્કૃતિનો વ્યાપ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરમકૃપાળુ સ્વામિનારાયણ ભગવાન એમના આત્માને શાંતિ આપે એવી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાર્થના કરી છે . સૌ હરિભકતોને જય સ્વામિનારાયણ.... સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા (SMVS) ના સંસ્થાપક પરમ પૂજય શ્રી દેવનંદનદાસજી ( ગુરુવર્ય પરમ પૂજય બાપજી ) સાથેના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંસ્મરણો વાગોળ્યા હતા. તસ્વીરમાં પૂ. સ્વામીશ્રી બાપુજી સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ફાઈલ ફોટો