સંતાન પ્રાપ્તિ નહીં થતા દંપતી ભુવા પાસે પહોંચ્યું : તાંત્રિક વિધિના નામે પરણિતા સાથે દુષ્કર્મ ગુજાર્યું
ભુવાએ કહ્યું કોઈને કહેશો તો માતાજી રૂઠશે :કલોલના વાસજડા ગામના ભુવાની ધરપકડ
મહેસાણા જિલ્લામાં સંતાન સુખ પ્રાપ્ત નહિ થતા દંપતી ભુવા પાસે ગયું હતું ભુવાએ રવિવારે દર્શને આવવા કહ્યું બાદમાં એક દિવસ તાંત્રિક વિધિના નામે પરણીતાને રૂમમાં લઇ જઈને બળાત્કાર ગુજાર્યો હતો દુષ્કર્મ બાદ ભુવાએ ધમકી આપતા કહ્યું કે જો કોઈને કહીશ તો માતાજી રૂઠશે આ અંગેની પોલીસ ફરિયાદ બાદ પોલીસે કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધી ધરપકડ કરી છે
આ અંગેની વિગત મુજબ વાંસજડા ગામના રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે. કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા. ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.
ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા રમણજી ઠાકોર સામે દુષ્કર્મનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.