News of Friday, 23rd July 2021
વડોદરાની મકરપુરા જી.આઈ.ડી.સી નજીક શ્રમજીવી યુવાનનું લાશ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા: શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.માંથી આજે સવારે એક શ્રમજીવી યુવાની લાશ મળી આવી હતી.જેની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
આજે સવારે મકરપુરા જી.આઇ.ડી.સી.માંથી એક શ્રમિકની લાશ મળી આવી હતી.બનાવની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના શરીર પર કોઇ ઇજાના નિશાન મળી આવ્યા નથી.જેના કારણે યુવકનું મોત બીમારીના કારણે થયુ હોવાનું અનુમાન છે.પરંતુ,મોતનું કારણ જાણવા માટે પોલીસે પી.એમ.કરાવ્યું છે.હજીસુધી મૃતકની ઓળખ પણ થઇ નથી.જેથી,પોલીસે આજુબાજુના વિસ્તારમાં ફોટના આધારે તપાસ હાથ ધરી છે.તેમજ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુમ થયેલા વ્યક્તિઓની પણ તપાસ પોલીસ કરી રહી છે.
(5:14 pm IST)