ગુજરાત
News of Monday, 23rd July 2018

SP કક્ષાના અધિકારીઓની બદલીનો ઘાણવો તૈયાર

કેટલાય જિલ્લાના પોલીસ વડા ટુંક સમયમાં બદલાશે

રાજકોટ તા. ૨૩ : રાજ્ય સરકારે આઇ.પી.એસ. કેડરના ડી.આઇ.જી.થી ઉપરની કક્ષાના અધિકારીઓની બદલીનો ઘાણવો કાઢયા બાદ હવે એસ.પી. (જિલ્લા અધિક્ષક) કક્ષાના અધિકારીઓની બદલીનો ઘાણવો તૈયાર કર્યો છે. બે-ત્રણ દિવસમાં જ હુકમ થઇ જાય તેવા નિર્દેષ છે.

જિલ્લામાં એસ.પી. તરીકે તેમજ અન્યત્ર ફરજ બજાવતા આઇ.પી.એસ. કેડરના એસ.પી. કક્ષાના ૪૦થી વધુ અધિકારીઓની બદલી આવી રહી છે. બદલીના ગંજીફામાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખવામાં આવશે. ચૂંટણી પહેલા એસ.પી. કક્ષાએ આ બદલીનો ઘાણવો મહત્વનો માનવામાં આવે છે.(૨૧.૧૬)

(4:05 pm IST)