News of Monday, 23rd July 2018
ઝઘડિયાના રાજપારડીનગર પંથકમાં ખેતરોમાં જળાશય બન્યા :ચોતરફ પાણીનો ભરાવો
ભરૂચના ઝઘડીયા તાલુકાના રાજપારડી નગરના પંથકમાં કેટલાક ખેતરો જળાશયોમાં ફેરવાયા છે. રાજપીપળાથી અંકલેશ્વરનો ધોરીમાર્ગ ચાર માર્ગીય બનતા અમુક સ્થળોએ રોડનું લેવલ પહેલા કરતાં ઉંચુ કરાયું છે. જેના કારણે રોડને અડીને આવેલા ખેતરોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે
(8:36 pm IST)