ગઈકાલે સરકાર સામે બળાપો કાઢનાર કેબિનેટ મંત્રી પરસોત્તમ સોલંકી આજે કેબિનેટ બેઠકમાં ગેરહાજર રહ્યા: ભારે ચર્ચા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અઘ્યક્ષતામાં મળેલી રાજ્ય સરકારની કેબિનેટની બેઠકમાં આજે કેબિનેટ મંત્રી શ્રી પરસોતમ સોલંકી ગેરહાજર રહયા છે. ગઈ કાલે પોતાની જ સરકાર સામે તેમણે ઉભરો ઠાલવી બળાપો કાઢ્યો હતો અને પોતાની સખત નારાજગી વ્યક્ત કરી હતી. આજે કેબીનેટની બેઠકમાં પણ તેઓ ગેરહાજર રહેતા સચીવાલયમાં અટકળોનું બજાર ગરમ બન્યું છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર થઈ રહ્યાની વાતોને નકારી કાઢી છે પરંતુ જાણકાર વર્તુળો માની રહ્યા છે કે ગુજરાત કેબિનેટમાં ટૂંક સમયમાં થોડા પરિવર્તનો અચૂક આવી રહ્યા છે. જેમાં કેટલાક પ્રધાનોને પડતા મૂકવામાં આવે અને કેટલાકને સમાવવામાં આવે તેવી પણ ભારે ચર્ચા છે. દરમિયાન પુરુષોત્તમભાઈ આજે આરોગ્યના કારણોસર ગેરહાજર રહ્યા કે નારાજગી ને લીધે ગેરહાજર રહ્યા તે હજુ સસ્પેન્સ છે..