વડોદરામાં પ્રેમ લગ્ન કર્યા બાદ પિયરમાં રહેતી રેલવે કર્મચારીની પુત્રીએ ભેદી સંજોગોમાં ફાસો ખાધો
વડોદરા:સગીર વયે પ્રેમી દ્વારા અપહરણ અને ત્યારબાદ પ્રેમી સાથે લગ્ન કરનાર સમા વિસ્તારના રેલવે કર્મચારીની યુવાન પુત્રીએ આજે સવારે પિતાના ઘરે ભેદી સંજોગોમાં ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.
મુળ રાજસ્થાનના વતની રાજેશભાઈ વર્મા ન્યુ સમારોડ પર અભિલાષા ચોકડી પાસે કેક્ટસ પાર્કમાં પરિવાર સાથે રહે છે અને વડોદરા રેલવેમાં ઈજનેર તરીકે ફરજ બજાવે છેે. તેમના બે સંતાનો પૈકી મોટી પુત્રી ૨૧ વર્ષીય આયુષીનું સગીર વયે દંતેશ્વરમાં રહેતા અરૃણે પ્રેમસંબંધમાં અપહરણ કર્યું હતું. આ બનાવની જ ેતે સમયે ફતેગંજ પોલીસ મથકમાં પોસ્કો હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.
પોલીસે અરૃણને ઝડપી પાડયા બાદ આયુષીએ તે તેની મરજીથી પ્રેમી સાથે ગઈ હતી તેમ કોર્ટમાં જણાવ્યું હતું અને આ બનાવના થોડા જ દિવસોમાં તે પુખ્તવયની થતાં તેણે અરૃણ સાથે પ્રેમલગ્ન કર્યું હતું અને પતિ સાથે તેના ઘરે ગઈ હતી.