ગુજરાત
News of Saturday, 23rd May 2020

સુરતના ચાર ડોક્ટરને અમદાવાદ ટ્રાસફર કરાતા ગણગણાટ

નવી સિવીલ હોસ્પિટલના ચાર ડોકટર્સને ડેપ્યુટેશન ઉપર અમદાવાદ ખાતે મુકાયા

સુરત શહેરમાં પણ કોરોના વાયરસના રોજીંદા ૨૫ થી ૩૦ કેસ નોંધાય રહયા છે. ત્યારે નવી સિવીલ હોસ્પિટલના ચાર ડોકટર્સને ડેપ્યુટેશન ઉપર અમદાવાદ ખાતે મુકવામાં આવતાં સ્થાનિક કક્ષાએ પણ ડોકટર્સની અછત વર્તાશે. જોકે આ બાબતે સ્થાનીક લેવલે કોઇ વિરોધ નથી કરાયો પણ આરોગ્ય વિભાગ ભવિષ્યમાં સુરતમાં જો કેસ વધે ત્યારે અહિ પણ ડોકટરોની ઉણપ સર્જાય તેવી શકયતાનો ગણગણાટ શરૂ થયો છે

(10:39 pm IST)