ગુજરાત
News of Saturday, 23rd May 2020

રાધનપુરમાં મધરાત્રે અગમ્ય કારણોસર બે કોમ વચ્ચે થયેલ ઝઘડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું:ઘાતક હથિયારો વડે થયેલ હુમલામાં યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત

રાધનપુર: નગરના પરામાં આવેલ દેવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે ઘાંચી અને દલીત સમાજના યુવાનો વચ્ચે કોઇ કારણો સર ઝગડો થયો હતો. જેમાં ઘાતક હથિયાર વડે હુમલો કરવામાં આવતા દલીત યુવાનને ગંભીર ઇજાઓ થવા પામી હતી. 

નગરના દેવડી પરામાં તા.૨૩મીની રાત્રે દલીત અને ઘાંચી સમાજના યુવાનો વચ્ચે કોઇ કારણો સર ઝગડો થયો હતો. જેમાં ઘાંચી યુવાનો દ્વારા દલીત યુવક પર તીક્ષણ હથીયરથી હુમલો કરવામાં આવતા સંજયભાઇ મકવાણા નામનો યુવાન લોહી લુહાણ હાલતમાં રોડ પર પડી જવા પામ્યો હતો. દલીત યુવાન પર તીક્ષણ હથીયાર વડે હુમલો કરવામાં આવ્યાના સમાચાર મળતા ઘાયલ યુવાના સગાવાલા દોડી આવ્યા હતા. અને યુવાનને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે રાત્રે લાવવામાં આવ્યો હતો. યુવાનને ગંભીર ઇજા જણાતા રેફરલમાં પ્રાથમીક સારવાર આપી ધારપુર ખાતે રીર્ફર કરવામાં આવ્યો હતો. મોડી રાત્રે બે કોમના યુવાનો વચ્ચે થયેલ ઝગડામાં ઘાતક હથીયાર વડે હુમલો થયાના સમાચાર નગરમાં પ્રસરતા નગરજનોમાં ભય ફેલાયો હતો. ઘટનાની જાણ થતા રાધનપુર પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની તપાસ હાથ ધરી હતી. 

(5:54 pm IST)