ગુજરાત
News of Saturday, 23rd May 2020

રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહેમદભાઇ પટેલે મુસ્લિમ બિરાદરોને ઇદની શુભેચ્છા પાઠવી

રાજકોટઃ રાજ્યસભાના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના કોષાધ્યક્ષ અહેમદભાઇ પટેલે રમઝાન ઇદ નિમિત્તે જનતાને શુભેચ્છા પાઠવી સાથે જ કોરોના વાયરસની મહામારીમાંથી સમગ્ર દેશને મુકિત મળે એવી દુઆ કરી હતી. રમઝાન ઇદની શુભેચ્છા પાઠવતા અહેમદભાઇ પટેલે જણાવ્યું હતું કે, સમગ્ર રમઝાન માસ દરમિયાન કરવામાં આવેલા રોઝા-ઇબાદતને અલ્લાહ ત્આલા કબુલ કરે તેમજ ખુશીના આ પર્વમાં સમગ્ર વિશ્વમાં અને ખાસ કરીને દેશમાં જે કોરોના વાયરસની મહામારી ફેલાઇ છે એનાથી અલ્લાહ ત્આલા મુકિત આપે એ દુઆ કરવાની સર્વે દેશવાસીઓને અપીલ કરી હતી. અહેમદભાઇ પટેલે જણાવ્યું હતું કે, આપણો દેશ આ સંકટમાંથી મુકત થાય અને તમામ દેશવાસીઓ ફરી એકવાર પોતાનું સામાન્ય જીવન જીવતા થાય એવી જ આ પાક પર્વ નિમિત્તે દુઆ કરૃં છું. તેમણે દેશવાસીઓને એક થઇને આ સંકટનો સામનો કરવા માટે પણ અપીલ કરી હતી.

(4:00 pm IST)