મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોરોના વોરિયર અભિયાનમાં જોડાતાં અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ
( પ્રભુદાસ પટેલ દ્વારા ) મોટી ઇસરોલ અરવલ્લી-સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડ પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના કોરોના વોરિયર અભિયાનમાં જોડાયા છે અને એમણે બન્ને જિલ્લાના પ્રજાજનો-નાગરિકોને પણ આ અભિયાનમાં જોડાવા અપીલ કરી છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ 'હું પણ કોરોના વોરિયર' અભિયાન સમગ્ર રાજ્યના જન જનને કોરોના મહામારી સામેની આ લડાઈમાં જોડાવા એક ઐતિહાસિક - સામાજિક અભિયાન નો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે પરિવાર ના મોભી તરીકે સાંસદ દીપસિંહ રાઠોડ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના 3 સંકલ્પોને અને હું પણ કોરોના વોરિયર અભિયાનને પોતાનું તથા પોતાના પરિવારનું ગણાવીને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની તમામ જનતાને આ જન જાગૃતિ અભિયામાં જોડાવા અપીલ કરી છે.