ગુજરાત
News of Saturday, 23rd May 2020

રાષ્ટ્રીય શ્રમિક શિક્ષણ અને વિકાસ બોર્ડમાં સહદેવસિંહ જાડેજાની નિમણૂંક

રાજકોટ, તા. ર૩ : ભારતીય મઝદૂર સંઘના પ્રદેશ મંત્રી અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા કર્મચારી બોર્ડના અધ્યક્ષશ્રી સહદેવસિંહ જાડેજાની શ્રી દત્તોપંત ઠેંગડી રાષ્ટ્રીય શ્રમિક શિક્ષણ અને વિકાસ બોર્ડમાં બોર્ડના ચેરમેનશ્રી હિરન્મયભાઇ પંડયાએ રીજીયોનલ એડવાઇઝરી કમીટીના ચેરમેન તરીકે નિમણૂંક કરી. ભારતીય મઝદૂર સંઘના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ તથા મહાત્મા ગાંધી  લેબર ઇન્સ્ટીટયુટના વાઇસ ચેરમેન શ્રી હસુભાઇ દવે તેમજ ભારતીય મઝદુર સંઘના પ્રદેશ પ્રમુખ શ્રી વાલજીભાઇ ચાવડા સહિતના હોદેદારોએ અભિનંદન પાઠવેલ છે.  શ્રી સહદેવસિંહ જાડેજા મોબાઇલ નંબર ૯૮૭૯૪ ૯૦૭૯૪

(2:46 pm IST)