સુરતથી ગરુડેશ્વર મંદિરે દર્શનાર્થે આવેલા પરિવારના ત્રણ સભ્યો પાણીમાં ડૂબી જતાં મોતને ભેટ્યા
પાંચ વ્યક્તિઓ નાની રાવલ ખાતેના વૈધનાથ મહાદેવ મંદિરે દર્શનાર્થે આવ્યા બાદ પિતા,પુત્રી અને મિત્ર ત્રણેય ગરમીના કારણે સ્નાન કરવા જતાં ડૂબી જતાં મોત
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ખાતે મંદિરે દર્શન કરવા આવેલા સુરતના પરિવારના ત્રણ ઊંડા પાણીમાં ગરકાવ થતા મોતને ભેટ્યા હતા.
ગરુડેશ્વર પીએસઆઇ એ.એસ. વસાવા એ આપેલી માહિતિ અનુસાર શુક્રવારે ગરુડેશ્વર તાલુકાના નાની રાવલ ખાતે આવેલા વૈધનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવેલા સુરત ના હીરાબાગ ડોકટર હાઉસ ખાતે રહેતા પાંચ વ્યકતીઓ પૈકી અનીલભાઇ કેશવભાઇ અજુડીયા,તેમના મિત્ર મગનભાઇ ભીખાભાઇ નાગાણી અને મગન ભાઈ ની દીકરી આરજુબેન મગનભાઇ નાગાણી આકરી ગરમીમાં નર્મદા નદીમાં નાહવા માટે ગયેલા તે વખતે ત્રણેય જણા ઉડા પાણીમાં ડુબી ગયા બાદ ગરુડેશ્વર પોલીસે ભારે જહેમત ઉઠાવી સ્થાનિક તરવૈયાઓની મદદથી મૃતદેહ બહાર કઢાવતા સુરતના આ પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યું હતું.આ સમગ્ર ઘટનામાં ગરુડેશ્વર પી.એસ. આઇ એ.એસ.વસાવા ત્રણેયના મૃતદેહો મળતા સુધી ખડેપગે ઘટના સ્થળે હાજર રહી પોલીસ પ્રજાની મિત્ર છે એ ઉક્તિ ને સાર્થક કરી બતાવી માનવતા દાખવી હતી.