ગુજરાત
News of Friday, 23rd April 2021

રાજ્યમાં બેકાબુ બનતો કોરોના : નવા રેકોર્ડબ્રેક 13.804 પોઝિટિવ કેસ : વધુ 5.618 દર્દીઓ સ્વસ્થ થયા : 142 દર્દીઓના મોત : કુલ મૃત્યુઆંક 6019 થયો : કુલ 3.61,493 લોકોએ કોરોનાને હરાવ્યો : વધુ 1.42.558 લોકોનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 5470 કેસ, સુરતમાં 2817 કેસ, વડોદરામાં 716 કેસ, રાજકોટમાં 719 કેસ, જામનગરમાં 607 કેસ, મહેસાણામાં 476 કેસ, 302 ભાવનગરમાં કેસ, ગાંધીનગરમાં 280 કેસ, બનાસકાંઠામાં 278 કેસ, જૂનાગઢમાં 218 કેસ, કચ્છમાં 210 કેસ, પાટણમાં 165 કેસ, ખેડામાં 129 કેસ, દાહોદમાં 115 કેસ, નવસારીમાં 108 કેસ, વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 106 કેસ, મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 93-93 કેસ, તાપીમાં 89 કેસ, અમરેલીમાં 87 કેસ, ગીર સોમનાથમાં 85 કેસ, પંચમહાલમાં 83 કેસ, સાબરકાંઠામાં 79 કેસ, મોરબીમાં 61 કેસ, અરવલ્લીમાં 59 કેસ, આણંદ અને છોટા ઉદેપુરમાં 52-52 કેસ અને નર્મદામાં 47 કેસ નોંધાયા : હાલમાં 1,00,128 એક્ટિવ કેસ : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો ત્યારે આજે રાજ્યમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું છે અને છેલ્લા કેટલાય દિવસો બાદ આજે  છેલ્લા કેટલાક દિવસથી નવા કેસની સંખ્યા ઝડપી ઉછાળો જોવાઈ રહ્યો છે , હવે રાજ્યમાં કોરોનાના નવા કેસ રેકોર્ડબ્રેક 10,000ને પાર પહોંચ્યા છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસની સંખ્યા 12,000ને વટાવ્યા બાદ આજે સૌથી વધુ રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે આજે રાજ્યમાં પહેલીવાર  આજે રાજ્યમાં 13,804 નવા કેસ નોંધાયા છે જયારે આજે વધુ  5618 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી હતી તેવામાં ફરીથી નવા કેસ વધવા લાગ્યા છે સરકારે સાવચેતીના પગલાં રૂપે પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશનો બોર્ડરે ચેકપોસ્ટ ઉભી કરીને તમામ યાત્રિકોનું સ્ક્રીનિંગ હાથ ધર્યું છે  આ ઉપરાંત રેલવે સ્ટેશન અને એરપોર્ટ પર પણ સ્ક્રીનિંગ વ્યવસ્થા ઉભી કરાઈ છે

મહારાષ્ટ્રથી આવતા વ્યક્તિઓ માટે કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે આ ઉપરાંત ધનવંતરી રથની સેવાઓને વધુ સુદઢ કરવામાં આવી છે અને ધન્વંતરિ રથની સંખ્યા વધારવામાં આવી છે હવે પહેલી એપ્રિલથી મહારાષ્ટ્ર સહીત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા તમામ વ્યક્તિઓનું કોવીડ 19નો RTPCR  ટેસ્ટ ફરજીયાત કરાયો છે નેગેટિવ રિપોર્ટ હશે તેને  જ ગુજરાતમાં પ્રવેશ આપવા નિર્ણય કરાયો છે 

  રાજ્યમાં આજે કોરોનાના નવા રેકોર્ડબ્રેક 13,804 કેસ નોંધાયા છે જયારે વધુ 5618 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ  3,61,493 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી 142 દર્દીઓના મોત થયા છે ,રાજ્યમાં મૃત્યુઆંક 6019 થયો છે,રાજ્યમાં રિકવરી રેટ 77,30 ટકા  થયો છે

 રાજ્યમાં આજે સુરત કોર્પોરેશનમાં 19, અમદાવાદ કોર્પોરેશનમાં 21,રાજકોટ કોર્પોરેશન અને વડોદરા કોર્પોરેશનમાં 10-10, જામનગર કોર્પોરેશનમાં 9,વડોદરામાં 6,બનાસકાંઠા અને જામનગરમાં 5-5, મહેસાણા,ભાવનગર કોર્પોરેશન, ભાવનગર સુરેન્દ્રનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં 4-4, ભરૂચ અને રાજકોટમાં 3-3, સુરત,પાટણ,ગાંધીનગર,જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,વલસાડ,અને બોટાદમાં 2,ગાંધીનગર કોર્પોરેશન,દાહોદ, મહીસાગર,પંચમહાલ,અમદાવાદ, અરવલ્લી,છોટાઉદેપુર ,1-1 લોકોના મોત  મળીને કુલ 142 લોકોના મોત થયા છે  કુલ કુલ મૃત્યુઆંક 55877 થયો છે

    રાજ્યમાં હાલ 1,00,128 એક્ટિવ કેસ છે, જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 3,61,493 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

 રાજ્યમાં કોરોનાની સારવાર માટે કોવીડ હોસ્પિટલોમાં વધુ 12,000થી વધુ બેડનો વધારો કરવામાં આવ્યો છે જેમાં બેડ અને વેન્ટિલેટર તેમજ આઈસીયુનો પણ સમાવેશ થાય છે

   રાજ્યમાં ગત 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણનો પ્રારંભ થયેલ છે, બીજા તબક્કામાં પણ રસીકરણ પૂર્ણ થયું છે , અત્યાર સુધીમાં કુલ 92,15,310 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 17,86,321 લોકોને બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે આમ કુલ 1,10,01,631 રસીકરણના અપાય છે અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી

  રાજ્યમાં આજે  60 વર્ષર્થી વધુની ઉંમર વાળાને અને 45 થી 59 વર્ષના ગંભીર બીમારી ધરાવતા લોકોને કોરોના રસી અપાઈ હતી  કુલ 57,228 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 76,095 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું હતું

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 13,804 કેસમાં અમદાવાદમાં 5470 કેસ,સુરતમાં 2817 કેસ,વડોદરામાં 716 કેસ, રાજકોટમાં 719 કેસ,જામનગરમાં 607 કેસ, મહેસાણામાં 476 કેસ,302 ભાવનગરમાં કેસ,  ગાંધીનગરમાં 280 કેસ,બનાસકાંઠામાં 278 કેસ, જૂનાગઢમાં 218 કેસ, કચ્છમાં 210 કેસ, પાટણમાં 165 કેસ, ખેડામાં 129 કેસ, દાહોદમાં 115 કેસ, નવસારીમાં 108 કેસ, વલસાડમાં 107 કેસ, ભરૂચમાં 106 કેસ,મહીસાગર અને સુરેન્દ્રનગરમાં 93-93 કેસ,તાપીમાં 89 કેસ,અમરેલીમાં 87 કેસ,ગીર સોમનાથમાં 85 કેસ, પંચમહાલમાં 83 કેસ,સાબરકાંઠામાં 79 કેસ,મોરબીમાં 61 કેસ,અરવલ્લીમાં 59 કેસ,આણંદ અને છોટા ઉદેપુરમાં 52-52 કેસ અને નર્મદામાં 47 કેસ નોંધાયા છે

(8:45 pm IST)