ગુજરાત
News of Saturday, 23rd March 2019

અંકલેશ્વરમાં અકસ્માતમાં એકનું મોત : 108 એમ્બ્યુલન્સ સમયસર નહિ આવતા લોકો વિફર્યા :ડ્રાઈવરને લમધાર્યો

બાઈક અકસ્માતમાં એકનું મોત :બે લોકોને ઇજા :ગડખોળ પાટિયા પાસે અકસ્માત

અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે તાપી હોટલ નજીક અકસ્માત સર્જાતા એક યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઇજા થઇ હતી દરમિયા સારવાર અર્થે સ્થાનિક રહીશોએ108 એમ્બ્યુલન્સે ફોન કરી અકસ્માતની જાણ કરી હતી પરંતુ 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે સમયસર નહીં આવતા સ્થાનિકો ગુસ્સે ભરાયા હતા. અને 108ના ડ્રાઇવને સ્થાનિક લોકોએ માર માર્યો હતો. સાથે એમ્બ્યુલન્સનો ઘેરાવ કર્યો હતો. જ્યારે અન્ય સેવાભાવી લોકો દ્વારા આ ઘટનાને શાંત પાડી હતી. એમબ્યુલન્સ ડ્રાઇવરે હજી સુધી કોઇપણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવી નથી.


    અંકલેશ્વર અંસાર માર્કેટ પાસે આવેલા નેશનલ હાઇવે ઉપર બાઇક અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. જ્યારે બે વ્યક્તિને ઇજા થતા સારવાર હેઠળ ખસેડાયા હતા. મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે આવેલા નેશનલ હાઇવે ઉપર ગડખોલ પાટીયા વિસ્તારમાં રહેતા સંજયભાઇ પ્રજાપતિ અને બાઇકની પાછળ બેઠેલા બીજા બે અન્ય વ્યક્તિ કંપની તરફ જઇ રહ્યા હતા

(2:44 pm IST)