News of Friday, 23rd March 2018
અમદાવાદમાં શહીદોને શ્રધ્ધાંજલી અર્પણઃ વિજયભાઇ રૂપાણી, નિતિનભાઇ પટેલ સહિતનાની ઉપસ્થિતિઃ શહીદ જવાનોના પરીવારજનોની એક-એક લાખ રૂપીયા આપવાની જાહેરાત
અમદાવાદઃ અમદાવાદમાં શહિદોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે અમદાવાદમાં ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા એક શામ શહિદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સાબરમતી રીવરફ્રન્ટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ભાજપના હોદેદારો અને નેતાઓએ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં કુશવાહા અને ભદોરિયા સહિત શહિદોના પરિવારજનોને સન્માનિત કરવામાં આવ્યા. સરકાર દ્વારા એક-એક લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના નિવેદનમાં શહિદોના બલીદાનને યાદ કર્યા હતા.
(5:46 pm IST)