ગુજરાત
News of Friday, 23rd March 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના મહામંત્રી તરીકે સંજય લાખાણીની નવનિયુકિત કરાઈ

રાજકોટ, તા. ૨૩ : ભારતીય રાષ્ટ્રીય વિચાર વિભાગના અધ્યક્ષ શ્રી ઉષાકાંત માંકડના આદેશથી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીની અનુમતિથી પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના મહામંત્રી તરીકે સંજય લાખાણીની નિમણુંક કરવામાં આવી છે. તેઓને આગામી લોકસભા-૨૦૧૯ ચૂંટણીના વિજયી લક્ષને ધ્યાનમાં લઈ જવાબદારી પૂર્ણ સ્થાન ઉપર કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે.

નવસર્જન ગુજરાતના ધ્યેય સિદ્ધિ માટે કોંગ્રેસ પક્ષ માટે સતત સક્રિયતાને ધ્યાનમાં લઈ આ નિયુકિત કરવામાં આવેલ છે. આ તકે કોંગ્રેસ આગેવાનો ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળીયા, ડો. હેમાંગભાઈ વસાવડા, ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂ, મહેશભાઈ રાજપૂત, સુરેશભાઈ ચેતા વગેરેએ અભિનંદન પાઠવેલ છે.

(4:28 pm IST)