નવા સચિવાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના હસ્તે અમૂલ પાર્લરનું ઉદ્દઘાટન
કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળશે
ગાંધીનગર : સચિવાલયના કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળી રહે તે માટે નવા સચિવાલય સંકુલના બ્લોક નં –૬ ના ત્રીજા માળે આવેલી કેન્ટીન અમૂલ કંપની લી.ને ફાળવવામાં આવી છે. અમૂલ કંપની દ્વારા આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ના રોજ આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના વરદ હસ્તે આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા, સચિવાલયના કર્મચારીઓ/અધિકારીઓ, અમૂલ કંપની લી.ના જનરલ મેનેજર, રીજીયોનલ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્ટીનમાં અમૂલની બધીજ બનાવટો, પિઝા, સમોસા, ફ્રેન્ચફ્રાઇ્સ તેમજ ગુજરાતી નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.