ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતના કાપોદ્રા સહીત ડિંડોલી વિસ્તારમાં બે જુદા જુદા શખ્સોએ અગમ્ય કારણોસર જીવનલીલા સંકેલતાં અરેરાટી

સુરત; શહેરમાં કાપોદ્રા અને ડિંડોલી વિસ્તારમાં બે યુવાને આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું.સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ કાપોદ્રા વિસ્તારના વિશાલ નગર સોસાયટીમાં રહેતા 36 વર્ષીય અનિલભાઈ તિવારી સોમવારે બપોરે ઘરના ત્રીજા માળેથી નીચે છલાંગ મારી હતી. જેમાં તેમને ગંભીર ઈજા થતા 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. 

જોકે છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતા હોવાથી આ પગલું ભર્યું હોવાનું પોલીસે કહ્યું હતું. આ અંગે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.

બીજા બનાવમાં ડિંડોલીમાં અંબિકા પાર્ક પાસે તિરુપતિ રો હાઉસમાં રહેતો 26 વર્ષીય હર્ષદ જીતેન્દ્રભાઈ સોલંકી કેટલા કેટલાક સમયથી ટેન્શનમાં રહેતા હોવાથી ગત તારીખ 16 મીએ ઘરે એસિડ ગટગટાવી ગયો હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, જ્યાં ગઈકાલે બપોરે તે મોતને ભેટ્યો હતો. આ અંગે પોલીસે તપાસ આદરી છે.

(4:59 pm IST)