વડોદરાના મકરપુરા જી.આઈ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકે ઘરમાં ફાસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા: શહેરના મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં નોકરી કરતા એન્જિનિયર યુવકે ૧૨ દિવસ પૂર્વેે ઘરે જ ફાંસો ખાઇ લીધો હતો.સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયુ છે.બાપોદ પોલીસે આપઘાતનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે.
આજવા રોડ સરદાર એસ્ટેટની પાછળ નિલમ સોસાયટીમાં રહેતો ૨૬ વર્ષનો કૃણાલ કંચનભાઇ રોહિત મકરપુરા જી.આઇ.ડી.સી.ની ખાનગી કંપનીમાં એન્જિનિયર તરીકે નોકરી કરે છે.ગત તા.૧૦ મી ના રોજ કૃણાલ મકાનના ઉપરના માળે હતો.જ્યારે તેના માતા પિતા નીચેના રૃમમાં હતા.બપોરે ત્રણ વાગ્યે તેની માતા કૃણાલને ચા પીવા માટે બોલાવવા ગઇ હતી.પરંતુ,ઉપરના માળે જઇને તપાસ કરી તો તેમનો પુત્ર કૃણાલ લટકતો હતો.જેથી,તેમને બૂમાબૂમ કરતા કૃણાલના પિતા પણ ઉપરના માળે દોડી આવ્યા હતા.માતા પિતાની બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા.તેમણે રૃમનો દરવાજો તોડીને કૃણાલને નીચે ઉતારી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇગયા હતા.જ્યાં સારવાર દરમિયાન ગઇકાલે સાંજે તેનું મોત થયુ હતું.