ગુજરાત
News of Tuesday, 23rd February 2021

સુરતમાં કોરોના કહેરઃ રાંદેર એલઆઈસીની શાખાના ૭ કર્મચારી પોઝીટીવઃ ઓફિસ બંધ

સુરતની એક શાળામાં વિદ્યાર્થી સંક્રમિત થતા ૧૪ દિવસ શાળા બંધ

રાજકોટ, તા. ૨૩ :. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં થયેલી ભીડ અને કોરોના વાયરસ સામેની સાવચેતી ભૂલાતા કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે.

સુરતની રાંદેર સ્થિત એલઆઈસીની એક શાખામાં ૭ કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતા ઓફિસને સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે. સુરતની એક શાળામાં એક વિદ્યાર્થી કોરોનાગ્રસ્ત માલુમ પડતા ૧૪ દિવસ શાળા બંધ કરવામાં આવી છે. આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે.

(4:03 pm IST)