ભાજપમાં ઉકળતો ચરુ :ધારાસભ્યએ જ ભાજપ સામે બળવો પોકાર્યો અને પ્રજાના અવાજને બુલંદ કર્યો છે
આગામી દિવસો અનેક ધારાસભ્યો ભાજપ સામે જ બળવો પોકારશે : અમિત ચાવડા
અમદાવાદ : ગુજરાતમા ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાએ રાજકારણ ગરમાવી દીધું છે.વિપક્ષ કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જે અંગે પ્રતિક્રિયા આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું છે કે આ રાજીનામાં પરથી સ્પષ્ટ થાય છે જે સમગ્ર વહીવટ સરમુખ્યતાર લોકો દ્વારા ચલાવવામા આવે છે. તેમજ ભાજપમાં ઉકળતો ચરુ છે. આ ઉપરાંત ભાજપના ધારાસભ્યએ જ ભાજપ સામે બળવો પોકાર્યો છે. તેમજ તેમણે પ્રજાના અવાજને બુલંદ કર્યો છે.
અમિત ચાવડાએ વધુમા જણાવ્યું હતું કે ભાજપમા કાર્યકરોમા જ હાલ ઉકળતો ચરુ છે. જેંના લીધે આ તો એક જ ધારાસભ્ય છે પરંતુ આગામી દિવસો અનેક ધારાસભ્યો ભાજપ સામે જ બળવો પોકારશે. આ રાજીનામાથી સરકારની તમામ મોરચે નિષ્ફળતા ઉજાગર થઈ છે. આ ધારાસભ્યએ તેમના પત્રમા સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અધિકારીઓ અને મંત્રીઓ મનમાનીથી સરકાર ચલાવે છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે આ સમગ્ર બળવાના મૂળમા મુખ્યમંત્રી બદલવાની અને મંત્રી પદ મેળવવાની ભાજપની આંતરિક લડાઈ જવાબદાર છે. જેના લીધે પ્રજાના કામો થતા અને તે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.