ધારાસભ્ય બની ગયો છતા પણ આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખીશઃ જીજ્ઞેશ મેવાણીની સટાસટી
ગાંધીનગર તા. ર૩ : ધારાસભ્ય તરીકે શપથ ગ્રહણ કર્યા બાદ અપક્ષ ઉમેદવાર જીજ્ઞેશ મેવાણીએ આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ રાખવાનો હુંકાર કર્યો છે.
બનાસકાંઠાના વડગામ બેઠકથી ચુંટાયેલા અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ આજે શપથ લીધા છે ત્યારે જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે ભલે તેઓ ધારાસભ્ય બની ગયા પણ આંદોલનકારી જીજ્ઞેશને મરવા નહી દે. લોકોના પ્રશ્ને આંદોલન કરતા રહેશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે દલિત સમાજની જમીનના મામલે તેમની લડત આગામી દિવસોમાં ઉગ્ર બનાવવામાં આવશે. આગામી તા.૧૪ ના રોજ સામખીયાળી હાઇ વે ઉપર ચકકાજામનું એલાન આપવામાં આવ્યું છે ધારાસભ્ય તરીકે ભારતીય બંધારણનો આદર કરતા રહેવાની સાથે બંધારણની ગરીમાને ધ્યાને રાખીને પોતાના આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ જ રાખવાનો નિર્ધાર તેમણે વ્યકત કર્યો છે.