News of Monday, 22nd January 2018
એસજીવીપી ગુરુકુળના અધ્યક્ષ શા,માધવપ્રિયદાસજી સ્વામીની સુરતની દીપદર્શન વિદ્યાસંકુલમાં પધરામણી
પૂર્ણકુંભ સાથે વેદગાન કરીને સ્વામીજીનું સ્વાગતકરાયું :800 વિદ્યાર્થીઓને સ્વામીજી સાથે પ્રશ્નોત્તરીનો લ્હાવો
સુરત :સુરતની ડિંડોલી વિસ્તારમાં આવેલી અંગ્રેજી મીડીયમ શાળા દીપદર્શન વિદ્યાસંકુલમાં અમદાવાદ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્વવિદ્યા પ્રતિષ્ઠન એસજીવીપીનાં અધ્યક્ષ શા,માધવપ્રિયદાસજી સ્વામી સંત મંડળ સહીત પધારતા શાળાના આચાર્ય ભાવેશભાઈ જોશી,સંકુલના પ્રમુખ જેઠાભાઇ વાઢેર,ટ્રસ્ટી દસરથભાઈ પટેલ,તુષારભાઈ પટેલ, તેમજ વિદ્યાર્થીઓએ પૂર્ણકુંભ સાથે વેદગાન કરીને સ્વામીજીનું સ્વાગત કર્યું હતું
પૂ,સ્વામીજીના પ્રેરણાત્મક ઉદબોધન બાદ ધો,8થી 12ના સાયન્સ અને કોમર્સના 800 વિદ્યાર્થીઓએ વિવિધ વિષયો પર સ્વામીજી સાથે પ્રશ્નોતરી કરી હતી શાળાની સ્વચ્છતા જોઈને સ્વામીજીએ પ્રશન્નતા વ્યક્ત કરી હતી બાળકો અને ટ્રસ્ટ્રીઓએ સ્વામીજીનું પૂજન કર્યું હતું તેમ કનુ ભગતની યાદીમાં જણાવાયું છે
(1:03 am IST)