News of Monday, 22nd November 2021
મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે કાર અને ટેન્કર ઘડાકાભેર અથડાયા :ગમખ્વાર અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મોત
નવસારી નજીક ધોળાપીપળા પાસે આ અકસ્માત સર્જયો.
અમદાવાદ :રાજ્યમાં આજે ઉપરા ઉપરી બે ગોઝારા અકસ્માતની ઘટના બની છે.જેમા કુલ 4 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. મુંબઈથી અમદાવાદ નેશનલ હાઈવે 48 પર એક ભયંકર અકસ્માત સર્જાયો. જેમા 3 લોકોના ઘટના સ્થળેજ મોત થયા હોવાનું સામે આવ્યું છે. આ સિવાય ખેડામાં પણ એક અકસ્માત સર્જાયો છે.
નવસારીમાં જે અકસ્માત થયો છે. તેમા કાર અને ટેન્કર ઘડાકાભેર એકબીજા સાથે અથડાયા હતા. આ અકસ્માત પણ એટલો ગંભીર હતો કે ઘટના સ્થળેજ 3 યુવકોના મોત થયા છે. નવસારી નજીક ધોળાપીપળા પાસે આ અકસ્માત સર્જયો. જેમા અકસ્માતની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોચી હતી જ્યા તેમણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(7:27 pm IST)