News of Friday, 22nd November 2019
અમદાવાદના અંજલિ ચાર રસ્તા પર લાખોના સોનાની લૂંટ મામલે પોલીસ કોન્સ્ટેબલની સંડોવણીની આશંકા
વેપારી પાસેથી શાસ્ત્રી બ્રિજ ચેક પોસ્ટ પાસે રૂપિયા 26 હજારનો પોલીસકર્મીએ તોડ કર્યો હતો.
અમદાવાદમાં અંજલિ ચાર રસ્તા પાસે થયેલા 70 લાખના દાગીનાની ચોરી મામલે પૂર્વ વિસ્તારની એક પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી હોવાની આશંકા સેવાઈ રહી છે. મુંબઈના વેપારી પાસેથી શાસ્ત્રી બ્રિજ ચેક પોસ્ટ પાસે રૂપિયા 26 હજારનો પોલીસકર્મીએ તોડ કર્યો હતો. જેના ગણતરીના કલાકો બાદ વેપારી પાસેના સોનાની નજર ચૂકવીને ચોરીની ઘટના બની છે.
શાસ્ત્રી બ્રિજ ચેક પોસ્ટ પર ફરજ પર હાજર પાંચ પોલીસ કર્મીઓની એસીપી કક્ષાના અધિકારીઓએ પૂછપરછ કરી. પ્રાથમિક તપાસમાં મહાવીરસિંહ નામના એક પોલીસ કોન્સ્ટેબલે મુંબઈના વેપારી પાસેથી રોકડા 26 હજાર લીધા હોવાનું સામે આવ્યું છે
(9:45 pm IST)