ગુજરાત
News of Friday, 22nd November 2019

આણંદના તુલસી ગરનાળા નજીક અગમ્ય કારણોસર 29 વર્ષીય યુવકે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કરતા અરેરાટી

આણંદ:શહેરના તુલસી ગરનાળા પાસે આવેલી સંસ્કારપાર્ક સોસાયટીમાં રહેતા મીલનભાઈ પુનમભાઈ મકવાણા (ઉ.વ. ૨૯)રેલવે સ્ટેશનની ગોદી પાસેથી અર્ધબેભાન હાલતમાં મળી આવ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ રેલવે પોલીસ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને યુવકની પુછપરછ કરતાં તેણે સેલ્ફોસની ગોળીઓ ખાધી હોવાનું જણાવ્યું હતુ. જેથી રેલવે પોલીસે તેને તુરંત જ સારવાર માટે સરકારી હોસ્પીટલમાં મોકલી આપ્યો હતો. જ્યાં તેનું અવસાન થયું હતુ.

આ અંગે આણંદ રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તેણે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે તપાસ હાથ ઘરી છે.

(5:42 pm IST)