ગુજરાત
News of Wednesday, 21st November 2018

પાટીદાર અનામત આંદોલનમાં નવી વ્યૂહરચના:હાર્દિક પટેલ 25 કન્વીનરો સાથે ઓબીસી પંચ સમક્ષ કરશે લેખિત રજૂઆત

 

અમદાવાદ :મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત માટેની ભલામણો સ્વીકાર્યા બાદ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત મળે તે માટે હાર્દિક પટેલે પ્રયાસો તેજ કરી દીધા છે. હાર્દિકે હવે નવો રસ્તો અપનાવ્યો છે, જેમાં તે પોતાની પાસની ટીમના 25 કન્વીનરો સાથે મળીને ગાંધીનગર સ્થિત ઓબીસી પંચને ગુરુવારે એટલે કે આજે લેખીતમાં રજૂઆત કરશે.

 આ અંગે હાર્દિક પટેલે જણાવ્યું કે અમે બપોરે ત્રણ વાગ્યે તમામ પૂરાવા પણ રજૂ કરીશું અને પાટીદાર સમાજને અનામત આપવા ભલામણો કરીશું.

(12:01 am IST)