આંકલાવ શહેરના રોહિતવાસમાં સાંજના સુમારે બે પરિવારો નજીવી બાબતે બાખડતાં ત્રણ ઈજાગ્રસ્ત
આંકલાવ:શહેરના રોહિતવાસમાં ગત ૧૯મી તારીખના રોજ સાંજના સુમારે બે પરિવારો વચ્ચે મારામારી થતાં ત્રણને ઈજાઓ થવા પામી હતી. આ અંગે પોલીસે બન્ને પક્ષોની ફરિયાદો લઈને ગુનાઓ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
મુળજીભાઈ મંગળભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, નજીકમાં જ રહેતા અશ્વિનભાઈ ડાહ્યાભાઈ મકવાણા, શુભમકુમાર અશ્વિનભાઈ મકવાણા, વિનોદભાઈ ડાહ્યાભાઈ મકવાણા અને નીખીલભાઈ વિનોદભાઈ મકવાણાએ ગમે તેવી ગાળો બોલીને ઝઘડો કર્યો હતો અને અમિતભાઈને જમણા કાન ઉપર લોખંડની પાઈપ મારી દીધી હતી જ્યારે મુળજીભાઈને જમણા કાન ઉપરવાસ લાકડાનો ડંડો મારીને ઈજાઓ પહોંચાડી હતી.
જ્યારે સામા પક્ષે અશ્વિનભાઈ ડાહ્યાભાઈ મકવાણાએ આપેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે, મુળજીભાઈ મંગળભાઈ મકવાણા, અમીતભાઈ મુળજીભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ મુળજીભાઈ મકવાણાએ વિનોદભાઈ સાથે ઝઘડો કરીને ગમે તેવી ગાળો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ મહેન્દ્રભાઈએ પોતાની પાસેનો લાકડાનો ડંડો ડાબા હાથે મારીને ઈજાઓ પહોંચાડી ફેક્ચર કરી નાંખ્યું હતુ.