News of Friday, 22nd October 2021
વડોદરાના કિશનવાડી વિસ્તારમા બંધ મકાનને નિશાન બનાવી બે તસ્કરો 15 હજાર લઇ છનનન....
વડોદરા:શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા શ્રી કૃષ્ણ મહોલ્લા ખાતે ત્રાટકેલા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો છે.
મળતી વિગતો અનુસાર ભાડાના મકાનમાં રહેતી વૃદ્ધાના બંધ મકાનને ટાર્ગેટ કરી અજાણ્યા તસ્કરો મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી પેન્શનના 15 હજાર રૂપિયા રોકડા, સોના ચાંદીના ઘરેણા તથા કપડા મળી હજારો રૂપિયાની મતા ચોરી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે બાપોદ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે માત્ર દોઢ મહિનામાં ભરચક વિસ્તારમાં તસ્કરોએ ત્રણ ચોરીની ઘટનાને અંજામ આપતા પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉભા થયા છે.
(6:09 pm IST)