નાટક અને ફિલ્મોના પીઢ કલાકાર હસમુખ ભાવસારનું અવસાન
હસમુખ ભાવસાર તાજેતરની મૂવીઝ સગપણ, બાપ વેચવાનો છે, બીજો દિવસ, ગ્રાન્ડ હલી અને સંબંધોની સોનોગ્રાફીમા રોલ પ્લે કર્યો હતો
અમદાવાદ,તા. ૨૨: ગુજરાતી નાટક અને ફિલ્મોના પીઢ કલાકાર હસમુખ ભાવસારનું અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. હસમુખ ભાવસાર એક લોકપ્રિય અભિનેતા હતા. હસમુખ ભાવસારની તાજેતરની મૂવીઝ સગપણ, બાપ વેચવાનો છે, બીજો દિવસ, ગ્રાન્ડ હલી અને સંબંધોની સોનોગ્રાફીમા તેઓએ અભિનય કર્યો હતો. હસમુખ ભાવસારની સગપણ મૂવી ૩ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ રીલિઝ થયઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન વંસત પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને તેમાં હસમુખ ભાવસાર મુખ્ય પાત્રોમાંના એક હતા.
હસમુખ ભાવસાર એક ભારતીય અભિનેતા હતા જે મુખ્યત્વે ગુજરાતી ફિલ્મોમાં જોવા મળે છે. તેમની ફિલ્મોમાં સંબંધો ની સોનોગ્રાફી (૨૦૧૬), કમિટમેન્ટ (૨૦૧૬) મોનાલિસા (૨૦૧૭) જયારે કોમેડી નાટક બાપ વેચવાનો છે (૨૦૧૭) નો સમાવેશ થાય છે. જાન્યુઆરી ૨૦૨૦માં સગપણ ફિલ્મમાં પણ હસમુખ ભાવસાર અભિનય કરતા જોવા મળ્યા હતા.