ગુજરાત
News of Thursday, 22nd October 2020

વટવા રેલવે ફાટક નજીક 108 ઇમરજન્સી વાન આગના ભરડામાં લપેટાઈ :ફાયર બ્રિગેડ દોડ્યું

લોકોના ટોળાને વીખેરવા માટે પોલીસ કાફલો પણ બોલાવાયો

અમદાવાદના વટવા રેલવે ફાટકવાળા માર્ગ પર નવાપુરા પાસે 108ની ઇમરજન્સી વાન આગના ભરડામાં લપેટાઈ હતી. આમ લોકોને સંકટ સમયે ઉગારતી 108 વાન જ પોતે જ સંકટમાં મૂકાઈ હતી. જો કે આ આગમાં 108ના કર્મચારીઓને કોઈ ઇજા થઈ નથી, બધા સલામત છે.

આ આગની જાણ તાત્કાલિક ફાયરબ્રિગેડને કરતા કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને આગ કાબૂમાં લીધી હતી. 108ની વાનમાં રસ્તા પર આગમાં લપેટાતા લોકોના ટોળેટોળા આ જોવા માટે વળ્યા હતા અને કેટલાક તેનો લાઇવ વિડીયો પણ ઉતારતા હતા. તેના લીધે લોકોના ટોળાને વીખેરવા માટે પોલીસ કાફલો પણ બોલાવાયો હતો.

(9:49 pm IST)