News of Tuesday, 22nd October 2019
આણંદની સબ જેલમાંથી 8 મહિના અગાઉ ફરાર થયેલ કેદીને એસઓજી પોલીસે વોચ ગોઠવીને વહેરાખાડી ગામેથી ઝડપ્યો
આણંદ: શહેરની સબજેલમાંથી આઠેક મહિના પહેલા દીવાલ પર ચઢીને ફરાર થઈ ગયેલો અપહરણ અને બળાત્કારનો આરોપી આખરે એસઓજી પોલીસે ગોઠવેલી વોચમાં વ્હેરાખાડી ગામેથી ઝડપાઈ જવા પામતાં પોલીસે રાહતનો દમ લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વ્હેરાખાડી ગામે રહેતો જશવંતભાઈ ઉર્ફે બોડીયો જીવાભાઈ પરમાર સને ૨૦૧૫માં એક કિશોરીને લગ્નની લાલચ આપીને ભગાડી લઈ ગયો હતો અને જુદી-જુદી જગ્યાએ લઈ જઈને તેણી પર જાતિય અત્યાચાર ગુજાર્યો હતો. ખંભોળજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તેને પેટલાદ તાલુકાના બોરીયા ગામેથી ઝડપી પાડ્યો હતો. તપાસ પૂર્ણ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો કોર્ટે હુકમ કરતાં તેને આણંદની સબજેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.
(5:54 pm IST)