ગુજરાત
News of Tuesday, 22nd October 2019

દિવાળીના તહેવારમાં કાયદો-વ્યવસ્થા જળવાય અને શાંતિથી ઉજવણી થાય તે માટે પોલીસ વડાની મહત્વની સુચનાઓ

રાજ્યના તમામ શહેર-જીલ્લાના પોલીસ વડાઓને ૧૨ મુદ્દાઓનો અસરકારક અમલ કરવા આદેશ

રાજકોટ તા. ૨૨: રાજ્યમાં દિવાળીના તહેવારની પ્રજાજનો હર્ષોલ્લાસ અને ઉમળકાભેર ઉજવણી કરી શકે તેમજ રાજયમાં કાયદો અને વ્યવસ્થા અને શાંતિ જળવાઇ રહે તે માટે રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી તરફથી કેટલાક મહવની સુચનાઓ તમામ શહેર-જિલ્લા પોલીસ વડાઓને આપવામાં આવી છે. જે અન્વયે ભીડ-ભાડવાળી જગ્યાયાઓએ સઘન પેટ્રોલિંગ રાખવામાં આવશે.શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ થીયેટરો, કોમર્શિયલ સન્ેટર, પાર્કિંગ વિસ્તાર ખાતે જરૂરી સિકયુરીટી વ્યવસ્થા અને સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા રખાવી, વિશેષ તકેદારી રખાશે.

આ ઉપરાંત બેંકો-એટીએમ પર લુંટ, પીક-પોકેટગ અને બેગ લીફટીંગ જેવા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ખાનગી કપડામાં તેમજ યિુનફોર્મમાં હથીયાર સાથે મોટર સાયકલ, હોક મોટર સાયકલ,  પી.સી.આર.વાનથી પેટ્રોલીંગ ગોઠવી અસરકારક કાયવાહી કરવામાં આવશે. રેલ્વે સ્ટેશનો, બસ સ્ટેશનો પર લોકો વિશેષ પ્રમાણમાં એકઠા થતા હોઇ આવા સ્થળોએ વિશેષ તકેદારી રાખવામા આવશે.  રાજ્યમાં દેશી-વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવિૃત અને હેરફેર અટકાવવા પુરતા પ્રયાસ હાથ ધરવામાં આવશે. સંવેદનશીલ-અતિ સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એકતા ન ડોહળાય/કોમ્યુનલ બનાવ ન બને તે માટે વિશેષ તકેદારી રાખવામાં આવશે. રાજયમાં બહારથી આવનાર પ્રવાસીઓના રોકાણની જગ્યાઓ જેવી કે હોટલ/ગેસ્ટહાઉસ ખાતે તેમજ હાઇવે ઉપર વાહનોનું અવાર-નવાર ચેકીંગ કરવામાં આવશે. શંકાસ્પદ ઇસમોની હીલચાલ ઉ૫૨ ચાંપતી નજર રાખી, વિશેષ તકેદારી રખાશે. 

ફટાકડા બજારોમાં તથા દારૂખાનું ફોડવા દરમિયાન તથા ગેરકાયદેસર રીતે વેચાણ થતા દારૂખાના/ફટાકડાના કારણે આગ કે અકસ્માતના બનાવો ન બને તે માટે ફાયર ફાઇટર-એમ્બયુલન્સ  વિગેરેની વ્યવસ્થા રાખી, કોઇ અનઇચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રખાશે.  દવાળીના તહેવારોમાં પોતાના વતન અથવા બહારગામ ફરવા વિશેષ પ્રમાણમાં લોકો જતા હોઇ આ દરમિયાન ઘરફોડી ચોરીના બનાવ ન બને તે માટે લોકો અગાઉથી સંબંધિત પોલીસ ટેશન ખાતે જાણ કરે તે અંગે લોકોમાં જાગૃતિ  લાવવા અને આવા વિસ્તારો નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં આવરી લેવામાં આવે તેની અસરકારક નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગ સ્કીમ તૈયાર કરી પરીણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે.  રાજયમાં જુદા જુદા ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તથા વોન્ટેડ આરોપીઓને પકડવા કાર્યવાહી કરવામાં આવશે.  રજાના દિવસોમાં બંધ રહેલી શાળા-કોલેજોમાં ચોરીનાં બનાવો બનતા અટકાવવા શૈક્ષણિક સંસ્થામાં રાખેલ અપુરતી-ખામી યુકત સુરક્ષાના મુદ્દે ચકાસણી કરી ગુના અટકાવવા શું કાર્યવાહી કરી શકાય તેની સંબંધીત શાળા-કોલેજના આચાર્ય-પ્રિન્સીપાલ-ટ્રસ્ટીઓ સાથે મિટીંગ કરવામાં આવશે.તહવારો દરમિયાન પોલીસની કામગીરીથી કોઇની લાગણી ન  દુભાય તેમજ ચેકીંગ દરમિયાન કોઇપણ  મહિલા, બાળકો પ્રત્યે સહાનુભુતિ દાખવવામાં આવે તે માટે વિશેષ સુચના ડીજીપી શ્રી શિવાનંદ ઝાએ આપી છે.

(11:31 am IST)