ગુજરાત
News of Tuesday, 22nd October 2019

દિવાળીની વાનગીઓ બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની આ ટિપ્સ !

પાતળા પૌઆનો ચેવડો કરતી વખતે પૌઆને તળવાને બદલે સારી રીતે સૂકા જ સેકી લો. તેલમાં વધારની સામગ્રી નાખ્યા પછી ગેસ બંધ કરી દો પછી પૌઆ નાખો અને પૌઆ સારી રીતે વઘારમાં મિકસ કર્યા પછી ધીમા તાપ પર મુકે હલાવતા રહો.

 ઘૂઘરાં, શક્કરપાળા વગેરેમાં શકય હોય તો ઘીનું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી થશે.

 ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળવો, જો વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકરી કુરકુરી થતી નથી.

 સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડવાથી સેવ વધુ સ્વાદિષ્ટ બને છે.

 ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઈએ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ. વધુ એ તેલવાળો ચેવડો સારો લાગતો નથી.

  ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.

 બંગાળી મીઠાઈ કરતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનુ પનીર નરમ બને છે.

 બંગાળી મીઠાઈ બનાવતી વખતે ખાંડના પ્રમાણમાં પાણી ૫-૬નો પ્રમાણમાં હોવુ જોઈએ. તેમા રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી. જો ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળતી વખતે ઘી માં તૂટે તો તેમા થોડો મેંદો મિકસ કરવો જોઈએ. ફરસીપુરી બનાવતી વખતે તેમા મોણના થોડુ નાખવુ જોઈએ તેનાથી ફરસી પુરી મોમા ઓગળી જાય તેવી બને છે.

 ભાખરવડી બનાવો ત્યારે બેસનનો લોટ બાંધો તેમા મોણ બિલકુલ ન નાખતા નહી તો તળતી વખતે તૂટી જશે.

 ઘૂઘરાં બનાવો ત્યારે લૂંઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી તેની પર ચોખાનો લોટ અને ઘી નું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂંઆ બનાવી પછી તેની પૂરી વણીને તેના ઘૂઘરા બનાવવા જોઈએ. આ રીતે ઘૂઘરાં બનાવવાથી ઘૂઘરાંનુ પડ ક્રિસ્પી બનશે.

(11:32 am IST)