2020માં વિશ્વ શાંતિના સંદેશા સાથેની સાબરમતી આશ્રમથી સિંગાપુર સુધીની વર્લ્ડ પીસ રેલી યોજાશે
યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ 26 દિવસમાં સિંગાપુર પહોંચશે
અમદાવાદ: સાંઇ વુમન એન્ડ ચિલ્ડ્રન વેલફેર ટ્રસ્ટ શાંતિનો સંદેશ આપે છે આ ટ્રસ્ટ લોકોને શાંતિ તરફ દોરવા માટે ફક્ત ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં પ્રયત્ન કરી રહ્યું છે. જે હેતુથી ફરી એક વાર એપ્રિલ 2020માં વર્લ્ડ પીસ રેલી યોજવાનું છે. આ રેલી ભારત સહિતના ચાર દેશોમાં યોજાશે. આ રેલી અમદાવાદથી સિંગાપુર સુધીની રહેશે શાંતિનો મેસેજ સાથેની આ રેલી રોડ મારફતે ભારતથી કારમાં નીકળશે ત્યાંથી મ્યાનમાર થાઈલેન્ડ મલેશિયા થઈ સિંગાપુર પહોંચશે.
આ દેશોની જાણીતી 20 સિટીમાં છે. જે લગભગ 26 દિવસમાં ફરી સિંગાપુર પહોંચશે. આ દરમિયાન રૂટ પ્રમાણે આઠ હજાર કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. આખા વિશ્વને અને શાંતિની રાહ બતાવી છે તેમાં મહાત્મા ગાંધીએ જેની સ્થાપના કરી છે તેવા સાબરમતી આશ્રમથી આ રેલી નીકળશે. જે સિંગાપુરના કલીફફોર્ડ પાયર સુધીની રહેશે.
આ રેલીનો મુખ્ય ઉદ્દેશ આર્મીમાં ઘાયલ થયેલા સૈનિકો તરફ સમાજના ઓરમાયા વર્તન સામે જાગૃતિ લાવવા કરેલ છે તેમ જ રેલીમાં ભાગ લેનારા આર્મીના દિવ્યાંગ સૈનિકોને વિશ્વનો પ્રવાસ કરવા બદલ ગર્વ અનુભવવાની તક આપવા આવે છે.
પહેલી રેલી આ વર્ષે એટલે કે 2019માં યોજવામાં આવી હતી. જેમાં ગાંધીજીની 150મી જન્મ જયંતિ વર્ષને ધ્યાનમાં રાખીને અમદાવાદથી લંડન સુધીની રહી હતી. જેમાં 30 લોકોએ ભાગ લીધો હતો. આ રેલી 17 હજાર કિલોમીટર અંતર રોડ મારફતે આપવામાં આવ્યું હતું. આ રેલી 1 જુલાઈ 2019થી 12 ઓગસ્ટ 2019 સુધી ચાલી હતી. જેમાં 15 દેશોને આવરી લેવાયા હતા.