ગુજરાત
News of Monday, 22nd October 2018

ગુજરાતમાં ઓછા વરસાદથી ખેડૂતોને ઘેરી ચિંતા :પાક નિષ્ફ્ળ જવાની ભીતિ

પીવાના પાણીની કટોકટોની સમસ્યાનો પણ પડકાર

અમદાવાદ :આ વર્ષે મેઘરાજાની નારાજગીને લીધે રાજ્યમાં થયેલા નહીવત વરસાદથી ચિંતા ઘેરી બની છે. એક તરફ ધરતીનો તાત ઓછા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિમાં છે, બીજીતરફ આવનારા દિવસોમાં પીવાના પાણીની કટોકટોની સમસ્યાથી સામાન્ય જનતા ચિંતામાં છે.આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં અછતની સ્થિતિને લઇને હાઇ પાવર કમિટીની તાકિદે બેઠક બોલાવી હતી.

 

(11:36 pm IST)