ગુજરાત
News of Monday, 22nd October 2018

નર્મદા કેનાલમાં બે બાળકો સાથે ઝંપલાવનાર મહિલાની પોલીસે વિધિવત ધરપકડ કરી

સુરત:બે બાળકો સાથે નર્મદા કેનાલમાં ઝંપલાવનાર કપડવંજની મહિલાની પોલીસે વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે બિલોદરા જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 
કપડવંજ નાની વ્હોરવાડમાં રહેતા અલ્તાફબેગ મીરઝાના લગ્ન અમદાવાદમાં રહેતી સાહિના ખાતુન સાથે થયા હતા. આ લગ્ન જીવન દરમ્યાન બે દીકરા અને એક દીકરીનો જન્મ થયો હતો. જે પૈકી એક દીકરાને નણંદને દત્તક આપ્યો હતો. આ દરમ્યાન સાહિના ખાતુનને દાદી સાસુ સાથે ગૃહકલેશ થતા બે બાળકોને લઈ પિયર જતી રહી હતી. બાદમાં ગત તા. ૧૯ મીએ સાહિના ખાતુન બાળકોને લઈ કપડવંજ આવવા નીકળી હતી. આ દરમ્યાન આંતરોલી નજીક નર્મદા કેનાલમાં બે બાળકો સાથે સાહિના નહેરમાં કૂદી પડી હતી પરંતુ બે બાળકો ડૂબી ગયા હતા. જ્યારે બાળકોની માતા બચી ગઈ હતી. જેને લઈ આંતરસુબા પોલીસે મહિલા સામે તેના પોતાના જ બે બાળકોની હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. 

(5:44 pm IST)