વલસાડ જિલ્લામાં 3 પીઆઈની બદલી
વાપી ટાઉનના પીઆઇ બારિયાને એલઆઇબીમાં મુકાયા, વાપી ટાઉનમાં આર. ડી. મકવાણાને મુકાયા, એસ.જે.દેસાઇને ધરમપુર સીપીઆઈમાં મુકાયા
(કાર્તિક બાવીશી દ્વારા )વાપી ટાઉન પોલીસ મથકના પીઆઇ એસ. જે. બારિયાને અચાનક એલઆઇબી તરીકે ખસેડાયા છે. જેને લઇ સમગ્ર પોલીસ વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે. પીઆઇ બારિયાને પણ મયંક ત્રિવેદીનો દારૂનો કેસ નડી ગયો હોવાની ચર્ચા ચાલી રહી છે. તેમના પોલીસ મથકે ચાલેલી ગેરરિતીના પગલે તેમની બદલી થઇ હોવાનું મનાઇ રહ્યું છે.
વાપી ટાઉન પીઆઇની ખાલી પડેલી જગ્યાએ ધરમપુર સીપીઆઇ આર.ડી. મકવાણાની બદલી થઇ છે. જ્યારે એલઆઇબીમાં ફરજ બજાવતા પીઆઇ એસ. જે. દેસાઇની ધરમપુર સીપીઆઇ તરીકે બદલી થઇ છે.વલસાડમાં 3 પીઆઇની બદલીની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. દારૂના કેસમાં 3 આરોપીઓને છોડવાના કેસમાં પીએસઆઇ મિયાત્રાને સસ્પેન્ડ કરાયા બાદ ખાસ કરીને વાપી ટાઉન પોલીસ મથકના પીઆઈની બદલી કરી તેમને સજા રૂપી એલઆઇબીમાં મુકાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.